20 Jan 2014

17 Jan 2014

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બનવા ૪,૧૭૨ અરજીઓ આવી. રાજ્યભરની ધોરણ-૧થી ૮ વાળી પ્રાથમિક શાળાઓમાં ૨૫૧૩ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજ્યભરના ૪૧૭૨ ઉમેદવારોએ મુખ્ય શિક્ષક બનવા ઓનલાઈન ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોની અરજીઓની ચકાસણી બાદ કામચલાઉ મેરિટ યાદી મૂકી ઉમેદવારોમાં વાંધો છે કે નહી તે જાણવામાં આવશે. ત્યારબાદ ફાયનલ મેરિટ યાદી વિદ્યાસહાયકની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.અરજીઓની ચકાસણી બાદ કામચલાઉ મેરિટ મુકાશે.ઉમેદવારોના વાંધાઓ પછી ફાઈનલ મેરિટ યાદી મુકાશે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગદ્વારા રાજ્યભરમાં આવેલી ધોરણ-૧થી ૮ના વર્ગખંડ ધરાવતી અને ૨૫૦થી વધુ વિદ્યાર્થી ધરાવતી પ્રાથમિક શાળાઓમાં ૫૦૨૬મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવનાર છે. જેમાં ૨૫૧૩ મુખ્ય શિક્ષકની સીધી ભરતીથી અને ૨૫૧૩ની બઢતીથી ભરતી કરવામાં આવનાર છે. સીધી ભરતી અંતર્ગત પ્રાથમિક શાળામાં પાંચ વર્ષ સુધી પુરા પગારે નોકરી કરેલી હોય અને એચ-ટેટ પરીક્ષા પાસ તેમજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ૨૫૧૩ મુખ્યશિક્ષકની ભરતી માટે રાજ્યભરમાંથી ૪૧૭૨ ઉમેદવારોએ અરજી કરી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય શિક્ષકની ૨૫૧૩ જગ્યા માટે રાજ્યભરમાંથી ૧૬૬ ટકા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે .મુખ્ય શિક્ષકની ભરતી માટે આવેલી અરજીઓની ચકાસણી કરી તેના ઉપરથી કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરી પ્રાથમિક શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. કામચલાઉ મેરિટના આધારે ઉમેદવારોએ ફોર્મ ભરવામાં નામ,સરનામાં કે ટકાવારીમાં કોઈ ભૂલ કરી હશે તો તે અંગેના વાંધાઓ સ્વીકારવામાં આવશે.ઉમેદવારોએ કરેલા વાંધાઓ અંગે યોગ્ય તપાસ કરી તેમાં જરૂરી સુધારો કરીને ફાયનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ફાયલ મેરિટયાદી વેબસાઈટ ઉપર મૂક્યા બાદ ભરતીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તેમ પ્રાથમિક શિક્ષણ વિભાગના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે.

9 Jan 2014

8 Jan 2014

બોધ કથા 14 સ્વામી વિવેકાનન્દ શિકાગોમાં સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા. એમની જ શિક્ષાથી સંન્યાસ આશ્રમમાં પ્રવિષ્ટ થયા અને વિવેકાનન્દ નામથી દેશ- વિદેશમાં વિખ્યાત થયા . સ્વામીજી ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા નહીં માગતા હતા. તેઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ કાંઈ પણ થાય પણ પાછળ ફરીને નહીં જોઇ. (એટલે કે નિશ્ચયમાં અડગ રહે), અને કોઈની સામે ભોજન માટે હાથ નહીં લંબાવે. જ્યારે કોઈ સ્વયં બોલાવીને ભોજન આપશે તો જ ભોજન ગ્રહણ કરીશ. આ કઠિન વ્રતનું પરિણામ એવું પણ આવ્યું કે કેટલીક વાર તો કેટલાય દિવસો સુધી ભોજન વિના જ વિતાવવા પડતા. એક દિવસ સાંજે સ્વામીજી એક ઘોડાના તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. સ્વામીજી એ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો નહીં હતો. ચહેરા ઉપર ભૂખની રેખાઓ સ્પષ્ટ ઉભરાયેલી હતી. ત્યાં ઊભેલા વ્યક્તિએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું - "સાધુ બાબા ! આજે ભોજન નહીં મળ્યું શું?" સ્વામીજી એ સરળતાથી ઉત્તર આપ્યો - "હા ભાઇ, પાછલા બે દિવસોથી મેં કઈ નથી ખાધુ." ત્યારે તે વ્યક્તિ સ્વામીજીને પોતાની સાથે અંદર લઈ ગયો. ત્યાં તેણે પોતાના માટે બનાવેલી સૂકી રોટલીઓ શ્રદ્ધાથી પરોસી. સાથે મરચાંની ચટણી પણ આપી. બે દિવસ ભૂખ્યાં રહેવા બાદ સૂકી રોટલીઓ પણ ઘણી સ્વાદિષ્ટ લાગી. તે વ્યક્તિએ સૂકા ભોજન અને મરચાંની જલન શાંત કરવા માટે તડબૂચ અને તેનું પાણી ભેટ કર્યું. સ્વામીજી તૃપ્ત થઈ ગયા. આજ પ્રકારે સ્વામીજી મહારાષ્ટ્ર, ગુજરાત, મૈસૂર વગેરે પ્રદેશોની યાત્રા કરતા- કરતા મદ્રાસ પહોંચ્યા. આ દિવસોમાં અમેરિકાના શિકાગો નગરમાં "વિશ્વ ધર્મ સંમેલન" ની ઘોષણા થઈ. જે સંમેલન ઈસાઈ પાદરિઓ તરફથી પ્રયોજિત હતું. વિશ્વના મુખ્ય ધર્મોના પ્રતિનિધિઓ પોત- પોતાના ધર્મનું સ્વરૂપ બતાવવા એકત્ર થવા માંડ્યા હતા. સ્વામીજી ત્યાં હિંદુ ધર્મના સિદ્ધાંતોને પાશ્ચાત્ય જગતની સમ્મુખ રાખવા માટે તેમના શિષ્યોના આગ્રહથી જવાનું સ્વીકાર કર્યું. ૩૧ મે, ૧૮૯૩ ના દિને તેઓ અમેરિકા જવા રવાના થયા. શિકાગો જઈને સ્વાજીએ અનેક પ્રકારની કઠિનતાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેનાથી સ્વામીજી જરાયે વિચલિત થયા નહીં. તેમને ત્યાં કોઈનો પરિચય નહીં હતો. તો પણ તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે સંમેલન પ્રારંભ થવામાં હજી બે-ત્રણ મહિનાની વાર હતી. ત્રીજી કઠિનતા એ હતી કે સંસ્થાના પ્રતિનિધિ જ સંમેલનમાં ભાગ લઈ શકતા હતા. સ્વામીજી તો ત્યાં કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે નહીં ગયા હતા. વળી સ્વામીજી પોતાના ખર્ચ માટે જે રાશી લઇ ગયા હતા, તે પણ સમાપ્ત થવા આવી હતી. ખર્ચને ઓછામાં ઓછો કરવા માટે સ્વામીજીએ શિકાગો નગરની બહાર કોઈ ઉપનગરમાં રહેવાનો નિશ્ચય કર્યો. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે દૃઢ સંકલ્પ કરી લે છે, ત્યારે પ્રભુ તરફથી સહાયતાના સાધન પણ આપોઆપ મળી જાય છે. વળી સ્વામીજી તો કટ્ટર પ્રભુ ભક્ત અને હઠ નિશ્ચયી હતા. એમના ભવ્ય સ્વરૂપ અને પ્રશાંત વ્યવહારને જોઇને એક સજ્જન પ્રભાવિત થયો અને તે સ્વામીજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તેણે સ્વામીજી સાથે હાવર્ડ વિશ્વવિદ્યાલયના એક પ્રાધ્યાપકની ભેટ કરાવી. (જે પ્રાધ્યાપક સંમેલનના પ્રમુખ અધિકારી હતા.) એ પ્રાધ્યાપકે વિશ્વાસ આપ્યો કે સંમેલનમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે તેમને ભાગ લેવા અને ભાષણ આપવાની અનુમતિ અપાવી દેશે. હવે પ્રશ્ન અર્થ કષ્ટનો હતો. શિકાગો નગરના એક હોટલમાં તેઓ થોડા સમય માટે રોકાવા ગયા. પરંતુ ત્યાં તેમને જગા નહીં મળી અને હોટલના માલિકે તેમનો તિરસ્કાર કરી હોટલમાંથી બહાર કાઠી નાંખ્યાં. બર્ફીલી રાત હતી. રોકાવા માટે કોઈ જગા નહીં મળવાથી તેઓ રેલવે સ્ટેશન ગયા અને ત્યાં બેંચ પર જ આખી રાત પસાર કરી. બીજા દિવસે સવારે રસ્તાના કિનારે ભૂખ્યા- પ્યાસા સ્વામીજી બેઠા હતા. વ્યાકુળ હતા, પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા અને હિંમત નહીં હારી. ફરી પ્રભુએ કૃપા કરી. સામેના મકાનમાંથી એક મહિલાએ તેમને જોયા. તેણી સ્વામીજીની શાંત મુદ્રા અને ભવ્ય આકૃતિથી પ્રભાવિત થઈ. તેણીએ સ્વામીજીને બોલાવ્યા અને આખું વૃતાંત સાંભળ્યું. આવા શ્રેષ્ઠ કાર્યમાં સહયોગ આપવાની ભાવનાથી એ મહિલાએ સ્વામીજીના નિવાસ આદિનો પ્રબંધ કરી આપ્યો. સંમેલન પ્રારંભ થયું. હાવર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકના પ્રયાસથી સ્વામીજીને કેવળ પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. ભાષણનો પ્રારંભ સ્વામીજીએ "મારા ભાઇઓ તથા બહેનો" એવાં એકદમ નવા અને અનોખા સંબોધનથી કર્યું ત્યારે આખો સભા સ્થળ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. "Ladies and Gentlemen" સાંભળવાવાળી અમેરિકી જનતા પ્રતિ ભાઇ- બહેનનો પવિત્ર સંબંધ પેદા કરવાવાળા આ ભારતીય સંન્યાસીની ધ્વનિ આખા દેશમાં ગાજી ઊઠી. પાંચ મિનિટની જગ્યાએ એ દિવસે જનતાના પ્રબળ આગ્રહથી એક કલાકનો સમય આપવામાં આવ્યો. હવે તો સંમેલનમાં અને સંમેલનની બહાર સ્વામીજીના વ્યાખ્યાનોની ધૂમ મચી ગઈ. હિંદુ ધર્મની આ યુક્તિયુક્ત અને સુંદર વ્યાખ્યાથી અમેરિકી જનતાનો મંચ મુગ્ધ થઈ ગયો. સ્વામીજી બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં હિંદુ ધર્મના સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા. સ્વામી વિવેકાનન્દજી જ્યારે પાછા આવ્યા, ત્યારે કલકત્તામાં જનતાએ ઘણા ઉત્સાહ અને જોશથી તેમનું સ્વાગત કર્યું. સ્વામીજીએ એ સભામાં આ ચિરસ્મરણીય શબ્દો કહ્યા - "मेने मोक्ष की प्राप्ति के लिये संन्यास नहीं लिया किन्तु मानव सेवा के लिये ही इसे ग्रहण किया है।" આ લક્ષ્યની પૂર્તિ માટે સ્વામીજી એ "રામકૃષ્ણ મિશન" ની સ્થાપના કરી

IMPORTANT HEADS IN INDIA - 2014 (MUST SHARE) ************************************** 1. Dr. Manmohan Singh: Chairman, Planning Commission. 2. Ms. Meira Kumar: Speaker, Lok Sabha. 3. Mohammad Hamid Ansari: Chairman, Rajya Sabha. 4. Mr. P. J. Kurien: Deputy Chairman, Rajya Sabha 5. Mr. Karia Munda: Deputy Speaker, Lok Sabha. 6. Mrs. Sushma Swaraj : Leader of Opposition (Lok Sabha). 7. Mr. Arun Jaitley: Leader of Opposition (Rajya Sabha). 8. Dr. Montek Singh Ahluwalia: Deputy Chairman, Planning Commission. 9. Mr. V. S. Sampath: Chief Election Commissioner 10. Mr. Harishankar Brahma : Election Commissioner. 11. Syed Nasim Zaidi : Election Commissioner. 12. Mr. Shashi Kant Sharma : Comptroller and Auditor-General of India 13. Mr. Justice K. G. Balakrishnan : Chairperson, National Human Right Commission (NHRC) 14. Mr. Ajit Seth: Cabinet Secretary. 15. Mr. T. K. A. Nair : Principal Secretary to Prime Minister . 16. Mr. Justice M. N. Rao: Chairman, National Commission for Backward Classes. 17. Ms. Shanta Sinha: Chairperson, National Commission for Protection of Child Rights 18. Dr. Buta Singh: Chairman, National Commission for Scheduled Castes 19. Ms. Urmila Singh: Chairman, National Commission for Scheduled Tribes. 20. Prof. D. P. Agrawal: Chairman, UPSC. 21. Dr. M. S. Swaminathan : Chairman, National Commission on Farmers (NCF). 22. Mr. Shiv Shankar Menon: National Security Adviser and Special Adviser to PM (Internal Security). 23. Mr. Sharad Kumar : Director-General, National Investigation Agency (NIA) 24. Mr. Vinay Mittal: Chairman, Railway Board. 25. Mr. Shumsher K. Sheriff : Secretary-General, Rajya Sabha 26. Mr. T. K. Viswanathan : Secretary-General, Lok Sabha. 27. Mr. Syed Asif Ibrahim : Director, IB. 28. Mr. Ranjit Sinha: Director, CBI. 29. Mr. Alok Joshi : Director, Research and Analysis Wing (RAW). 30. Mr. Arvind Ranjan : Director-General, NSG. 31. Mr. Dilip Trivedi : Director-General, CRPF. 32. Mr. Subhash Joshi : Director-General, Border Security Force (BSF). 33. Mr. Rajiv : Director-General, Central Industrial Security Force (CISF). 34. Mr. P. K. Mehta: Director-General, Railway Protection Force. (RPF) 35. Mr. Ajay Chadha: Director-General, Indo-Tibetan Border Police (ITBP). 36. Mr. Arun Chaudhary : Director-General, Sashastra Seema Bal. 37. Vice-Admiral Anurag G. Thapliyal : Director-General, Indian Coast Guard. 38. Lt. Gen. Avtar Singh: Director-General, Defence Intelligence Agency.

2013 NI HIGHLIGHT ( EDUCATIONAL ) 2013.. જાન્યુઆરી * એલ.ટી.સી બ્લોકના વપરાશની મુદત વધારવામાં આવી. * પ્રાથમિક શાળાઓમાં સૌ પ્રથમ શાળા પુસ્તકાલય માટે 13000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી.માર્ચ મહિના સુધી ગ્રાન્ટ વપરાશની સુચના આપવામાં આવી. * કર્મચારીઓ તરફથી આવકવેરા મર્યાદા 500000 ની કરવા માંગણી કરવામાં આવી. * જાન્યુઆરી મહિનામાં ગુણોત્સવ-4 નો ધમધમાટ ચાલુ થયો. * 8 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયકની પુરક જાહેરાત આવી.જેમાં વયમર્યાદા 28 થી 30 કરવામાં આવી. * 11 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયક ની ભરતી પર સ્ટે આવ્યો. * 14 જાન્યુઆરી ના રોજ હાઇકોર્ટ દ્વારા અંધઉમેદવારો માટે અનામત રાખવાનુ જણાવ્યુ. * 30 જાન્યુઆરીના રોજ ફિક્સ પગારના કેસની સુપ્રિમ કોર્ટમાં સુવાનણી હાથ ધરાઇ.11/2/13 નવી તારીખ પડી. ફેબ્રુઆરી . * 4 ફેબ્રુઆરીના રોજ સીસીસી પરીક્ષાની મુદત 3 મહિના લંબાવાઇ. * 9 ફેબ્રુઆરીના રોજ માધ્યમિક ફાજલ શિક્ષકોને પ્રાથમિક શાળામાં ઉચ્ચતર વિભાગમાં સમાવવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય. * શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતની કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓમાં બોન્ડબેન્ડ કનેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.6 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો. * ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં 18 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી વાંચનસપ્તાહની ઉજવણી કરવામાં આવી. * આદિજાતી વિદ્યાવિકાસનુ ભરતી કૌભાંડ બહાર પડ્યુ. * 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યસરકારે બજેટમાં મુખ્ય શિક્ષકની ભરતી માટેની જોગવાઇ કરી લાંબા સમયથી ચાલતી અફવા કે મુખ્ય શિક્ષકની કેડર રદ થવાની છે તે બાબતનુ ખંડન કર્યુ. માર્ચ * 7 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવાસ માટે પોલિસ બંદોબસ્તનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો. * 8 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વયમર્યાદા ફરજિયાત 6 વર્ષની કરી જેનો ખુબ જ વિરોધ થયો . * 13 માર્ચના રોજ રાજ્ય સરકારનો દરેક શાળાઓને ગુણોત્સવ-4 ને કારણે પરિક્ષા 15/4 પછી ગોઠવવા આદેશ કરવામાં આવ્યો. * ધોરણ 6 થી 8 ની બાળાઓને જીવનલક્ષી તાલીમ આપવાનો નિર્ણય કરવામા આવ્યો. * 21 માર્ચના રોજ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને વિદ્યાસહાયક ભરતીમાં અનામતના ધારાધોરણો ન જાળવ્યા બાબતે જાટકણી કાઢવામાં આવી. એપ્રિલ * 12 એપ્રિલના રોજ ગુણોત્સવ-4 ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં યોજવામાં આવ્યો. * કેન્દ્ર સરકાર દ્વારા નિવૃતિ વયમર્યાદા 2 વર્ષ વધારવાના સંકેત આપવામાં આવ્યા. * ખાતાકીય પરીક્ષાની જાહેરનામુ બહાર પડ્યુ. * કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોધવારી ભથ્થામાં 8% નો વધારો કરવામા આવ્યો. * ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં તા-29 અને 30 ના રોજ નિદાનાત્મક કસોટી યોજવામાં આવી. મે * સુપ્રિમ કોર્ટમાં ફરી એકવાર ફિક્સ પે ની મુદત 4/7/2013 ની પડી. * 13 મે ના રોજ 12 સાયન્સનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ. * 22 મે ના રોજ રાજ્ય સરકારના કર્મચારોઓના મોઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો. * કર્મચારીઓના કુલ પગાર પર પી.એફ કાપવાનો નિર્ણય. * 25 મે નારોજ સુપ્રિમ કોર્ટે દ્વારા ગુજરાત સરકારની ફિક્સ પે બાબતે ઝાટકણી કાઢવામાં આવી.વિદ્યાસહાયક યોજનાને “વિદ્યાશત્રુ” તરીકે વર્ણવી. * રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની 13000 પ્રાથમિક શાળાઓનુ વિલિનિકરણ કરવાની હિલચાલ. જુન * 13 જુનના રોજ ધોરણ -10 નુ પરિણામ જાહેર થયુ. * 13 જુનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. * 8 જુનના રોજ શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા વિલિનિકરણનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો. * 19 જુનના રોજ વિદ્યાસહાયકની પુરક જાહેરાત આવી,લાંબી આતુરતાનો અંત. * શિક્ષણ વિભાગનો સરકારી પ્રાથમિક શાળાઓમાં અગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય. જુલાઇ * ગુજરાતના પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બુથ લેવલ ઓફિસર હાઇકોર્ટના શરણમાં. * ગુજરાત સરકારે હાઇકોર્ટના આદેશ અનુસાર 31 અંધ વિદ્યાસહાયકોને નિમણુક ઓર્ડર આપ્યા. * 31 જુલાઇના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-2 ની 225 જગ્યાઓને વહીવટી મંજુરી આપવામાં આવી. ઓગષ્ટ * ફિક્સ પગારના કેસમાં વધુ એક તારીખ પડી.તા-21/8/13 ની નવી તારીખ પડી. * 18 ઓગષ્ટના રોજ HTAT ની પરીક્ષા લેવામાં આવી. * 28 ઓગષ્ટના રોજ વિદ્યાસહાયકોને સામુહિક નિમણુક ઓર્ડર આવવામાં આવ્યા. સપ્ટેમ્બર * 5 સપ્ટેમ્બરના રોજ એચ.ટાટ નુ પરિણામ જાહેર થયુ. * 8 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ વિભાગનો મહત્વકાંક્ષી નિર્ણય- વિકલ્પ લઇને ઉચ્ચપ્રાથમિક શાળાઓમાં જનાર શિક્ષકોની સિનિયોરીટી સળંગ ગણાશે. * મતદારયાદી સાથે સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ. * 1 સપ્ટે. ના રોજ લેવાયેલ ટેટ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ. ઓક્ટોમ્બર * ફિક્સ પે ની ફરી નવી તારીખ પડી, નવી તારીખ-22/10/13 આવી. * ધોરણ-10 અને 12 માં પ્રથમ વાર આવેદનપત્રો ઓનલાઇન ભરવાની શરૂઆત. * રાજ્ય સરકાર દ્વારા 1800 તલાટીની ભરતી કરવાનો નિર્ણય. *લાંબા સમયથી રાહ જોતા બદલી કરાયેલ શિક્ષકોને છુટા કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય. નવેમ્બર * ઉચ્ચતર પગારધોરણ માટે HTAH ફરજિયાત ના નિર્ણય સામે શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ. * બુથ લેવલ ઓફિસરોને વળતર રજા આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. *12 નવેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટમાં ફિક્સ પે બાબતે થયેલ સુવાનણીમાં તા-21 જાન્યુઆરી ની મુદત પડી. * 27 અધિકારીઓને DEO/DPEO નો ચાર્જ આપવામાં આવ્યો. * 21 નવેમ્બરના રોજ શિક્ષણ વિભાર દ્વારા 6000 ગણિત- વિજ્ઞાનના વિદ્યાસહાયકની જાહેરાત આવી. ડિસેમ્બર * મધ્યાહનભોજન યોજનામાં બાળકોના દૈનિક ખર્ચમાં 7.5% નો વધારો. * 13 ડિસેમ્બરના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં સરદાર બાળમેળો યોજાયો. * રાજ્યના નાણા વિભાગ દ્વારા ફિક્સ પે ના કર્મચારીઓની માહિતિ મંગાવી. * ધોરણ-1 થી 5 ની ભરતી પર સ્ટે આવ્યો. * 28 ડિસેમ્બરના રોજ HTAT ની સીધી ભરતીની જાહેરાત આવી.

3 Jan 2014

today news

Android Secrete codes 1. Phone Information, Usage and Battery – *#*#4636#*#* 2. IMEI Number – *#06# 3. Enter Service Menu On Newer Phones – *#0*# 4. Detailed Camera Information – *#*#34971539#*#* 5. Backup All Media Files – *#*#273282*255*663282*#*#* 6. Wireless LAN Test – *#*#232339#*#* 7. Enable Test Mode for Service – *#*#197328640#*#* 8. Back-light Test – *#*#0842#*#* 9. Test the Touchscreen – *#*#2664#*#* 10. Vibration Test – *#*#0842#*#* 11. FTA Software Version – *#*#1111#*#* 12. Complete Software and Hardware Info – *#12580*369# 13. Diagnostic Configuration – *#9090# 14. USB Logging Control – *#872564# 15. System Dump Mode – *#9900# 16. HSDPA/HSUPA Control Menu – *#301279# 17. View Phone Lock Status – *#7465625# 18. Reset the Data Partition to Factory State – *#*#7780#*#* 19. Format Your Device To Factory State(will delete everything on your phone) – *2767*3855#